30/07/2022

STD 6 TO 8 ENGLISH ACTIVITIES AND G-SHALA APP IN GYANKUNJ

                                                                 ધોરણ ૬ થી ૮ માં અંગ્રેજી વિષયના શિક્ષણ માટે વિવિધ પ્રવૃતિઓ લર્નિંગ મટીરીયલ નાં માધ્યમથી કરવામાં આવી હતી જેના દ્વારા બાળકો સરળતાથી અંગ્રેજી વિષયનું શિક્ષણ મેળવી શકે અને કઠીનબિંદુનો મહાવરો કરી શકે. સાથોસાથ G-SHALA APP  નો જ્ઞાનકુંજ પ્રોજેકટ મારફત ઉપયોગતો ખરો જ....
(માર્ગદર્શક શિક્ષક:- ગોહેલ હંસાબેન)













26/07/2022

ધોરણ ૬ થી ૮ વિષય ગણિત વિજ્ઞાન જ્ઞાન કુંજ અને G-SHALA APP ઉપયોગ

                                                                 ધોરણ ૬ થી ૮ વિષય ગણિત વિજ્ઞાન જ્ઞાન કુંજ અને G-SHALA APP નાં સયુકત ઉપયોગ કરી ગણિત જેવા વિષયની સમજ જ્ઞાન કુંજ પ્રોજેકટ મારફત અને G-SHALA APP નાં માધ્યમથી સ્માર્ટ કલાસમાં આપવામાં આવી હતી. (માર્ગદર્શક શિક્ષક જનકભાઈ અગ્રાવત) 






ધોરણ ૫ ગમ્મત સાથે જ્ઞાન વિષય ગણિત

                                 ધોરણ ૫ માં ગમ્મત સાથે ગણિત વિષયનું જ્ઞાન આપવામાં આવે છે જે અંતર્ગત આકાર અને ખૂણા એકમ ની સમજુતી લર્નિંગ મટીરીયલ દ્વારા આપવામાં આવી હતી (માર્ગદર્શક શિક્ષક;- અઘેરા જસ્મીનાબેન) 







ધોરણ ૨ મોખિક ભાષા વિકાસ પ્રવૃત્તિ

                                ધોરણ ૨ પ્રજ્ઞા અભિગમ અંતર્ગત મોખિક ભાષા વિકાસ પ્રવૃત્તિ કરવામાં આવે હતી (માર્ગદર્શક શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન) 






ધોરણ ૧ વિધ્યાપ્રવેશ અંતર્ગત કોલાજ વર્ક

                                                                                                    ધોરણ ૧ વિધ્યાપ્રવેશ કાર્યક્રમ અંતર્ગત કોલાજ વર્ક  કરવામાં આવ્યું હતું (માર્ગદર્શક શિક્ષકશ્રી હેતલબેન કાછડ)






23/07/2022

બાળકની ઉત્તરવહી , બાળકની વિષય મુજબની સિદ્ધિ નબળાઈ તેમજ પરિણામ ચકાસણી કાર્યક્રમ

વાલી મિટીગ અને વાર્ષિક પરીક્ષા ૨૦૨૧ વાલીઓ માટે બાળકની ઉત્તરવહી , બાળકની વિષય મુજબની સિદ્ધિ નબળાઈ તેમજ પરિણામ ચકાસણી કાર્યક્રમ 

                                      શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની દ્રિત્યસત્ર ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું  મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળાકક્ષાએ સત્રની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામ થી વાલીને વાકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકોની ખુબી અને ખામીથી  વાલીઓ વાકેફ થયા. સાથો સાથ વાલીઓમા ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શાળા ના આચાર્ય/ સ્કુલ ઇન્સ્પેકટર વાળા નિર્મળસિંહ તેમજ શિક્ષકમિત્રો ગોપાણી ધીરજલાલ, અઘેરા જસ્મીનાબેન, કોટડીયા દિવ્યેશભાઇ, અગ્રાવત જનકભાઇ, ગોહેલ હંસાબેન દ્વારા કરવામાં આવ્યુ હતું. 























ગુરુ પૂર્ણિમા ઉજવણી ૨૦૨૨

                                                                                 હિન્દુઓ આધ્યાત્મિક ગુરુઓને અગત્યનો મહત્વ આપે છે-ધર્મ અને આધ્યાત્મિક વિકાસના મુદ્દે શિક્ષકો. ગુરુઓને વ્યક્તિગત અને અમર વચ્ચેની એક કડી તરીકે ગણવામાં આવે છે, જેથી તેઓ ક્યારેક ભગવાન સાથે સરખાવાય છે. જેમ ચંદ્ર સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને તેનાથી તેને મહિમા આપે છે, તેમ જ બધા શિષ્યો ચંદ્રની જેમ ચમકતા હોય છે જે તેમના ગુરુઓમાંથી બહાર આવેલાં આધ્યાત્મિક પ્રકાશનું પ્રતિબિંબ પાડે છે. કોઈ આશ્ચર્ય નથી, તો પછી, હિન્દુ ધર્મ ગુરુને સમર્પિત કરવા માટે સમર્પિત પવિત્ર દિવસ પૂરો પાડે છે.

ગુરુ પૂર્ણિમા શું છે?

હિન્દૂ મહિનાના આષાદ (જુલાઈ-ઓગસ્ટ) માં પૂર્ણ ચંદ્ર દિવસ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસ તરીકે જોવામાં આવે છે , જે મહાવી વેદ વ્યાસની યાદમાં પવિત્ર છે. બધા હિન્દુઓ આ પ્રાચીન સંતના ઋણી છે, જેમણે ચાર વેદને સંપાદિત કર્યા હતા અને 18 પુરાણો , મહાભારત અને શ્રીમદ ભાગવતમને લખ્યું હતું. દત્તાત્રેય, ગુરુના ગુરુ તરીકે ગણવામાં આવે છે, પોતે ગુરુ પૂર્ણિમા દ્વારા શિક્ષિત હતા. શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. 









બાળમેળો અને લાઈફ સ્કીલમેળો ૨૦૨૨

                                          શ્રી મોટી વાવડી પ્રા.શાળામાં જુલાઈ ૨૦૨૨ માં ધોરણ ૧ થી ૫ માં બાલમેળો  અને ધોરણ ૬ થી ૮ માં લાઈફ સ્કીલ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોને ખુબ આંનદ આવ્યો હતો અને ગમ્મત સાથે જ્ઞાન મેળવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 





















શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો