શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત ૪ વર્ષથી NMMS પરીક્ષા માં ઉતીર્ણ થઇ અને રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ૨૦૧૮ થી લઇ ૨૦૨૧ સુધીમાં ૬ બાળકો રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે અને આ સફળતા ને સતત અને અવિરત આગળ વધારવા માટે શાળા કક્ષાએ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખુબ ઉપયોગી એવા "જ્યોતથી જ્યોત ઝળહળે જ્ઞાન" ની અંતર્ગત મળેલ સ્પર્ધાત્મક પુસ્તક નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથોસાથ શાળાના HTAT આચાર્ય અને હાલ સ્કુલ ઇન્સ્પેકટર શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા રાજય પરિક્ષા બોર્ડ - ગાંધીનગર દ્વારા ધોરણ:- ૮ ના વિદ્યાર્થીઓ માટે NMMS ની સ્કોલરશીપ એક્ઝામ લેવામાં આવે છે જેની પુર્વ તૈયારી માટે દર રવિવારનાં રોજ અને જાહેર રજાના દિવસે આ એકઝામ ની પુર્વ તૈયારી અને માર્ગદર્શન નિયમિત ધોરણે આપવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.