વાલી મિટીગ અને પ્રથમસત્ર પેપર ચકાસણી અને પરિણામ:-૨૦૧૯-૨૦
શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની પ્રથમસત્ર ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું બાહ્ય મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળાકક્ષા એ દ્રિત્યસત્ર ની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામ થી વાલીને વાકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકોની ખુબી અને ખામીથી વાલીઓ વાકેફ થયા.સાથો સાથ વાલીઓમા ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શાળા ના આચાર્ય વાળા નિર્મળસિંહ તેમજ શિક્ષકમિત્રો કોટડીયા દિવ્યેશભાઇ, અગ્રાવત જનકભાઇ, ગોહેલ હંસાબેન દ્વારા કરવામાં આવ્યુ હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.