27/08/2023

મેરી મીઠ્ઠી મેરા દેશ કાર્યક્રમ

મેરી મીઠ્ઠી મેરા દેશ કાર્યક્રમ: -

 ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશ દ્વારા કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવહવે સમાપન તરફ પ્રયાણ કરી રહ્યુ છે. ત્યારે રાષ્ટ્રવ્યાપી અને લોકોની આગેવાની જન ભાગીદારીથી મીટ્ટી કો નમન, વીરો કો વંદનના સુત્ર સાથે રાષ્ટ્રની અનેક સિદ્ધિઓની ઉજવણી કરે છે.

        જાહેર આગેવાની હેઠળનું આ અભિયાન સ્વતંત્રતાનો અમૃત મહોત્સવકાર્યક્રમનો સમાપન સમારોહ છે. મેરી માટી મેરા દેશઉજવણી અંતર્ગત, રાષ્ટ્ર તેની વિવિધ સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રની રક્ષા કરનારા વીરોનું સન્માન કરવામાં આવ્યું ગામ, પંચાયત, બ્લોક, શહેરી સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગ દ્વારા આપણે જીવનદાતા વસુધાને નમન કરીએ છીએ. આ મહોત્સવમાં આપણા દેશ માટે શહિદ થયેલ વીરો ને શ્રદ્ધાજંલી આપવામાં આવી.









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો