28/07/2023

ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા (ભાષા) શિક્ષણ પ્રવૃતિઓ:-

                                                                                                                                                                                ધોરણ ૧ અને ૨ માં ભાષા શિક્ષક શ્રી પ્રવિણાબેન જીવાણી દ્વારા દીવાસળીના બોક્ષ માંથી બનાવેલ ટી.એલ.એમ દ્વારા શ્રત્રઅને ઋ થી બનતા શબ્દો નું વાચન નો મહાવરો કરતા ધો.2 ના બાળકો









અગ્નિ શામક:- MOCK DRILL શાળા સલામતી અને તેની જરૂરિયાત

                               અગ્નિશામક અને તેના પ્રકારો તેમજ વિવિધ અગ્નિશામકના ઉપયોગ બાબતની માહિતી તેમજ જરૂરી બાબતો વિશેની માહિતી શાળાના આચાર્યશ્રી નિર્મળસિંહ વાળા તેમજ  ગણિત વિજ્ઞાન નાં શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત દ્વારા બાળકોને આપવામાં આવી હતી.  જે બાળકોની શાળા સલામતી ના ભાગરૂપે ખૂબ જ અગત્યની પ્રવૃત્તિ અને જવાબદારી પણ છે.







16/07/2023

ધોરણ ૩ થી ૫ અંગ્રેજી વિષય પ્રવૃતિઓ

                                                              ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી અઘેરા જસ્મીનાબેન  દ્વારા ધોરણ ૫ નાં અંગ્રેજી  વિષય અંતર્ગત બાળકોને વિવિધ  પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય અને પ્રવુંતીનું નામ નીચે મુજબ છે. 

Std 5 :- Subject English:- Little step seven, eight, nine Activity 3:- Making a birthday cards






બાળ વાટીકા પ્રવૃતિઓ

                                                         બાલવાટિકાના બાળકો હાથીના ખૂટતા અંગો જોડે છે પ્રવૃત્તિ 34, માર્ગદર્શક શિક્ષક :- હેતલબેન કાછડ 







પ્રાર્થના કાર્યક્રમ અને મુલ્યલક્ષી પ્રવૃતિઓ:-

                                                                           આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ. કારણ કે પ્રાર્થનાથી આપણા મનમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે અને આપણે સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. શાળા કે કૉલેજોમાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસકાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરે છે. રોજ-બરોજના કામ અને સફળતા અને નિષ્ફળતામાં ઘણીવાર આપણે સભાન રહી શકતા નથી. પ્રાર્થનાથી  આપણને એમાં શાંતિ મળે છે. પ્રાર્થનાથી આપણા દોષો આપણે જોઈ શકીએ છીએ અને એને દૂર કરી શકીએ છીએ. એટલે જ ગુજરાતી સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે, ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’

૧) પ્રાર્થાનામાં સંગીતના સાધનોનો ઉપયોગ, ૨) આજનું ગુલાબ, ૩) આજનો દીપક, ૪) અક્ષયપાત્ર, ૫) ખોયાપાયા બોકસ જેવી મુલ્યલક્ષી પ્રવૃતિઓ, ૬) પ્રાર્થનાના સંચાલનમાં માઈક અને ડેસ્કનો ઉપયોગ, 7) બાલવૃંદનાં સભ્યો દ્વારા સમર્ગ પ્રાર્થના કાર્યક્રમનું સંચાલન 















શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ૨૦૨૩-૨૪

 શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ:- તા:- ૧૪.૦૭.૨૦૨૩ વાર:-શુક્રવાર 

  • આ કાર્યક્રમમાં નવજાત શિશુથી ૧૪ વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોના આરોગ્‍યની જવાબદારી રાજ્યની આરોગ્‍ય વિભાગ દ્વારા નિભાવવામાં આવે છે.
  • બાળકોમાં પાંડુરોગ જેવી બીમારીઓથી માંડી, હૃદય, કીડની અને કેન્‍સર જેવી ગંભીર બીમારીઓની સારવારમાં રાજ્યમાં તેમજ રાજ્ય બહારની ખ્‍યાતનામ હોસ્‍પિટલોમાં વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત પ્રતિ વર્ષ અંદાજે એક કરોડ જેટલાં બાળકોની આરોગ્‍યની તપાસણી કરવામાં આવે છે.
  • જે બાળકોને સંદર્ભ સેવાની જરૂર છે તેવાં બાળકોને જિલ્‍લાની સિવિલ હોસ્‍પિટલમાં મોકલી અપાય છે. જ્યાં બાળરોગ-નિષ્‍ણાત, આંખના સર્જન, કાન-નાક-ગળાના સર્જન, દંત સર્જન, ચામડીના રોગોના નિષ્‍ણાંત વગેરે નિષ્‍ણાતો દ્વારા તબીબી સારવાર આપવામાં આવે છે.
  • જે બાળકોની દ્રષ્‍ટિની ખામી હોય તેવાં બાળકોને વિનામૂલ્‍યે ચશ્‍મા પૂરા પાડવામાં આવે છે.
  • રાજ્ય સરકાર દર વર્ષે ૪૫૦ લાખ રૂપિય શાળા-આરોગ્‍ય કાર્યક્રમ માટે પૂરા પાડે છે.
  • વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા યુનિસેફ, યુનેસ્‍કો અને વિશ્વબેન્‍કના સહકારથી ‘આરોગ્‍યવર્ધક શાળા-કાર્યક્રમ’ નો પાયોલોટ પ્રોજેકટ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો છે.
  • શ્રી મોટીવાવડી પ્રા.શાળાના બાલવાટિકા થી ધોરણ ૮ સુધીના કુલ ૨૦૦ વિદ્યાર્થીની આ કાર્યક્રમ અંતર્ગત તપાસણી કરવામાં આવી હતી.




વાલી સંંર્પક :-

                                                                                સરકારશ્રીના આદેશ મુજબ શાળામાં અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો આ માસ દરમિયાન વાલી સંપર્ક શિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન અને શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન  દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો વાલીઓને બાળકોની નિયમિતતા અને તેની જરૂરીયાત વિશે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી..





સમૂહ કવાયત (શા.શિ.:- માસ પીટી)

 શાળાના C.P.ED શિક્ષકશ્રી હેતલબેન અને HTAT આચાર્યશ્રી નિર્મળસિંહ બી. વાળા દર શનિવારે  બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટીની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શા.શિ. ના તાસ માં બાળકોને સમૂહ કવાયત કરાવવામાં આવી. જેથી બાળકો ના શિસ્ત અને નિયમિતતા ના દર માં ખુબ જ વધારો થયો છે. 

                                                  GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ મુજબ જેમા સમૂહ કવાયતનાં દાવ-પ્રણાયામ-યોગાસનનું શિક્ષણ આપવામાં આવે છે. 










PM POSHAN (MID-DAY MEAL)

                                                                           આપણા દેશમાં આર્થિક રીતે નબળા વર્ગના ઘણા એવા પરિવારો છે જેઓ તેમના બાળકોને યોગ્ય રીતે ખવડાવી શકતા નથી. જેના કારણે બાળકો કુપોષણનો શિકાર બને છે અને તેમને બાળપણ વિતાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી, હવે કેન્દ્ર સરકારે કુપોષણની સમસ્યાને રોકવા માટે એક યોજના શરૂ કરી છે, જેનું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના છે. શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે આ યોજનાનો લાભ લેતા બાળકો અને નિયમિત મધ્યાહન ભોજન ચકાસણી કરતા શિક્ષક મિત્રો.













10/07/2023

ધોરણ ૬ થી ૮ સા.વી. વિષય શિક્ષક પ્રવૃતિઓ

૧) ધોરણ 7 જ્ઞાનકુંજ વર્ગ વિષય - સામાજિક વિજ્ઞાન એકમ - 10 પૃથ્વી ની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો   અંતર્ગત  પૃથ્વીની આંતરિક રચનાની સમજ gshala દ્વારા આપવામાં આવી અને વિદ્યાથીઓ દ્વારા પાઠ્ય પુસ્તક આધારિત પૃથ્વી ની આંતરિક રચના ની નામ નિદર્શન વાળી આકૃતિ દોરીને પ્રવૃત્તિ કરાવામાં  આવી

૨) ધોરણ -6 વિષય - સામાજિક વિજ્ઞાન એકમ -9 "આપણું ઘર પૃથ્વી"  અંતર્ગત પાઠ્ય પુસ્તક આધારિત પૃથ્વી નાં ગોળા પર અક્ષાંશ વૃતો નાં નામ નિદર્શન વાળી આકૃતિ વિદ્યાથીઓ દ્વારા દોરીને કરવામાં આવી.

માર્ગદર્શક શિક્ષકશ્રી:- દિવ્યેશભાઈ કોટડિયા











ધોરણ ૩ થી ૮ વાર્તા સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્યગાન-લેખન તેમજ ગાયન અને વાદન સ્પર્ધા

                                                          ધોરણ ૩ થી ૮ માં શાળા કક્ષાએ ધોરણ ૩ થી ૮ નાં બાળકો માટે શિક્ષણ વિભાગની સૂચના અન્વયે શાળામાં ચિત્ર સ્પર્ધા, ગાયન-વાદન સ્પર્ધા તેમજ કવિતા લેખન અને ગાયન જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું 













શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો